Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટર ચાલુ કરતી વખતે મહિલાને વીજ આંચકોઃ
જામનગર તા. ૧૮: લાલપુરના સીંગચ ગામમાં રહેતા એક પરિણીતાને ઝાડા-ઉલ્ટી થઈ ગયા પછી સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા જતી વખતે વીજ આંચકો લાગતા એક પરિણીતાનું પણ મૃત્યુ થયું છે.
લાલપુર તાલુકાના સીંગચ ગામમાં રહેતા પૂજાબેન શૈલેન્દ્રભાઈ રાઠોડ (ઉ.વ.ર૬) નામના સતવારા પરિણીતાને ઝાડા-ઉલ્ટી થઈ જતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ યુવતીનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. વિશાલ જયંતિભાઈ સોનગરાએ પોલીસને જાણ કરી છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં વસવાટ કરતા નંદનીબા મયુરસિંહ જાડેજા (ઉ.વ.ર૮) નામના પરિણીતા ગઈ તા.૪ની બપોરે પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરતા હતા ત્યારે તેઓને વીજ આંચકો લાગ્યો હતો. આ મહિલાને સારવારમાં લઈ જવાયા પછી ગઈકાલે તેઓનું મૃત્યુ થયું છે. પતિ મયુરસિંહ રતુભા જાડેજાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial