Advertisement
Author: નોબત સમાચાર

ચામાં શું મેળવ્યું છે તેમ પૂછતા વેપારી પર રેંકડીધારકનો હુમલોઃ અરજી કરાઈ

ઓખાના આર.કે. બંદર પર બોલી બઘડાટીઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૧૮: ઓખામાં આર.કે. બંદર પર ચાની લારી ચલાવતા એક શખ્સને એક વેપારીએ ચા પીધા પછી ચામાં શું મેળવ્યું છે તેમ પૂછતા તેમના પર લારી ચલાવતા શખ્સે હુમલો કર્યાની  અરજી કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઓખામંડળમાં આર.કે. બંદર પર ચા પીવા માટે ગયેલા ભાવસિંહ બુધીયાભા જામ નામના વેપારીએ ચામાં શું મેળવ્યું છે તેવી શંકા પડતા ચાની રેંકડીવાળા મોહસીમ કાદરને પૂછયું હતું.

આ બાબતે પૂછતા જ ઉશ્કેરાયેલા રેંકડીધારકે વેપારી પર હુમલો કરી માર માર્યાે હતો. સારવાર માટે દવાખાને લઈ જવાયેલા ભાવસિંહને વધુ સારવાર માટે ખંભાળિયા દવાખાને ખસેડયામાં આવ્યા છે. ઉપરોક્ત બનાવની મંગળવારે પોલીસને જાણ કરવામાં આવ્યા પછી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. તેવી રજૂઆત વેપારીએ ઉચ્ચકક્ષાએ કરવાની તજવીજ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh