Advertisement
Author: નોબત સમાચાર

નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કંટાળી જઈ યુવાને ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

એકલવાયા જીવનથી થાકેલા પ્રૌઢનો ગળાટૂંપોઃ યુવકનંુ અગ્નિસ્નાનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવાસમાં રહેતા એક કોળી યુવાને શનિવારે સવારે પોતાના રહેણાંકમાં નબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. જ્યારે માનસિક બીમારીના કારણે કંટાળેલા શેખપાટના યુવાને પણ ગળાટૂંપો ખાધો છે. નગરના એક યુવાને અકળ કારણથી અગનપછેડી ઓઢી લીધી છે અને ભાતેલના એક પ્રૌઢે એકલવાયા જીવનથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ મોત વ્હાલુ કર્યું છે.

જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવેલા આવાસની સી-વિંગમાં આઠમાં માળ પર રહેતા વેલજીભાઈ રાજેશભાઈ છીપરીયા નામના ત્રીસ વર્ષના યુવાને શનિવારે સવારે પોતાના ઘરે એક ઓરડામાં રહેલા છત પંખામાં ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ યુવાનનું શ્વાસ રૃંંધાઇ જવાથી મૃત્યુ નિપજ્યું છે. વધુમાં જાણવા મળ્યા મુજબ વેલજીભાઈ તથા તેમના પત્ની આરતીબેન અનુક્રમે શહેર મામલતદાર કચેરી તથા કલેકટર કચેરીમાં આઉટસોર્સના કર્મચારી તરીકે નોકરી કરતા હતા. આ યુવાન આર્થિક ભેંસના કારણે કંટાળી ગયા હતા અને શનિવારે સવારે તેઓએ આત્મઘાતી પગલું ભરી લીધું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તેમના પત્ની આરતીબેન વેલજીભાઈ છીપરીયાનું નિવેદન નોંધ્યું છે.

જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા શેખપાટ ગામમાં રહેતા નરશીભાઈ મનસુખભાઈ કણઝારીયા નામના ૩૫ વર્ષના યુવાન લાંબા સમયથી માનસિક બીમારીની સારવાર મેળવી રહૃાા હતા. તેમ છતાં નરશીભાઇને સારૃં થતું ન હોવાથી  કંટાળ્યા હતા. તે દરમિયાન નરશીભાઈએ ગયા ગુરૂવારે બપોરે એકાદ વાગ્યે પોતાના ઘરમાં કોઈ ન હતું ત્યારે છતમાં રહેલા પંખામાં ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો હતો. આ યુવાનને નીચે ઉતારી સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ તેઓનું મૃત્યુ નીપજ્યું છે. તેમના પિતા મનસુખભાઈ દેવાભાઈ કણઝારીયાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર મહાકાળી સર્કલ નજીક રાવળવાસમાં રહેતા કેતનભાઈ દિનેશભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) નામના યુવાને શનિવારે રાત્રે પોતાના ઘરમાં એક ઓરડામાં જઈ શરીર પર દીવાસળી ચાંપી અગનપછેડી ઓઢી હતી. સારવારમાં ખસેડાયેલા કેતનભાઈનું મોડીરાત્રે મૃત્યુ નિપજ્યું હતું. તેમના પત્ની પાયલબેનનું પોલીસે નિવેદન નોંધ્યું છે.

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામમાં રહેતા અભેસંગ માધવસંગ (ઉ.વ.૫૦) નામના પ્રૌઢે પોતાના એકલવાયા જીવનથી કંટાળી જઈ શુક્રવારની બપોરથી રવિવારની સવાર દરમિયાન પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. રવિવારે સવારે તેની જાણ થતાં મૃતકના મોટાભાઈ બહાદુરસંગ માધવસંગે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh