Advertisement
Author: નોબત સમાચાર

સોડાએશના જથ્થામાં ભેળસેળ કરવાના ગુન્હામાં નાસી ગયેલા બેની કરાઈ અટક

દોઢ વર્ષથી હાથતાળી આપતા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: દ્વારકા નજીક ઘડી ડિટર્જન્ટ કંપનીમાં મોકલવામાં આવેલા સોડાએશના જથ્થામાં ભેળસેળ કરવાના નોંધાયેલા ગુન્હામાં દોઢ વર્ષથી નાસતા ફરતા બે શખ્સને દ્વારકા એલસીબીએ પકડી લીધા છે.

દ્વારકા નજીક કુરંગા ૫ાસે આવેલી આરએસપીએલ (ઘડી ડિટર્જન્ટ) કંપનીમાં સોડાએશના જથ્થામાં ભેળસેળ કરી છેતરપિંડી આચરાયાની દોઢ વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી.

તપાસમાં ભાવનગર જિલ્લાના ચિત્રા ગામના રાજેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા તથા મોરબીના લુટાવદરના અનિરૂદ્ધસિંહ ઉર્ફે કુલદીપ સહદેવસિંહ ઝાલાના નામ ખૂલ્યા હતા. ત્યારથી આ શખ્સો નાસતા ફરતા હતા. બંને આરોપીને દ્વારકા એલસીબી સ્ટાફે પીઆઈ કે.કે. ગોહિલની સૂચના મુજબ પકડી પાડ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh