Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આહિર સમાજ દ્વારા રાસોત્સવ

શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે જાજરમાન આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં આહિર યુવા ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૬ ઓક્ટોબરના શરદ પૂર્ણિમાની રઢિયાળી રાતે આ જાજરમાન રાસોત્સવ ઉજવાશે.

જામનગરના સત્યમ્ કોલોની વિસ્તારમાં આવેલ આહિર સમાજની બાજુમાં જે.એમ.સી. ગ્રાઉન્ડના આંગણે આ જબરદસ્ત આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તા. ૬ ઓક્ટોબરના સાંજે ૯ વાગ્યાથી લઈ ૧ર વાગ્યા સુધી સમગ્ર રાસોત્સવ ઉજવાશે. આહિર સમાજના લોકો પારિવરિક માહોલમાં ગરબે રમી ઉત્સાહ માણી શકે તે માટે આ આયોજન હાથ ધરાયું છે, જેમાં કલાકાર પ્રવિણ બારોટ અને મિત્તલ ચૌહાણ સૂર-સંગીતની રમઝટ બોલાવશે.

શરદ પૂર્ણિમાની ચાંદની રાતમાં આ રાસનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગીત-સંગીત, રાસ-ગરબાનો સોહામણો સંગમ જોવા મળશે. દિવાળીના તહેવારના સ્વાગતની તૈયારી અને નવરાત્રિના રમઝટની વિદાય વચ્ચે આ આયોજન આહિર સમાજના લોકો માટે ગરબા-રાસનો મજા માણવાનો દિવસ બની રહેશે, જેમાં સામાજિક, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

આહિર યુવા ગ્રુપના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા ગ્રુપના પ્રમુખ સંજયભાઈ કાંબરિયાની આગેવાનીમાં યુવાઓ જહેમત ઊઠાવી રહ્યા છે, જેમાં સહભાગી થવા માટે આહિર સમાજના લોકોને આહિર યુવા ગ્રુપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh