Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક શેરીઓમાં ગેરકાયદેે થાંભલા મૂકાયા!
જામનગર તા. રરઃ જામનગરમાં રણમલ તળાવ સંલગ્ન કેનાલના કામ માટે દિગ્વિજય પ્લોટ ૭ નંબરનો માર્ગ મહિનાઓથી બંધ થયો છે. નિયત મુદ્ત પૂરી થઈ ગયા પછી પણ કાર્ય પૂર્ણ ન થતા રસ્તો ખોલવામાં વિલંબ થયો છે. દિગ્વિજય પ્લોટ નં. ૧પ સુધીમાં તળાવની પાળથી દિગ્વિજય પ્લોટને સમાંતર મુખ્ય રસ્તા તરફ જવા માટે આ એકમાત્ર પહોળો અને અગત્યનો રસ્તો હોય, સાતમ-આઠમના તહેવારોમાં આ માર્ગ બંધ રહેવાથી લોકોને ઘણી અગવડતા પડી હતી. હવે આ રસ્તાનું કામ અત્યંત વિલંબ પછી પૂર્ણતાના આરે છે, ત્યારે અહીં જલદી વાહનવ્યવહાર ચાલુ થાય તેની રાહ જોવાઈ રહી છે.
બીજી તરફ દિગ્વિજય પ્લોટની શેરીઓમાં તળાવની પાળ તરફના ખૂણે તથા સામેની તરફના ખૂણે સ્થાનિકો દ્વારા ગેરકાયદે થાંભલાઓ મૂકીને આ રસ્તા પર ફોર વ્હીલરનો પ્રવેશ ન થાય એવી ગોઠવણ કરવામાં આવી છે. આ જાહેર રસ્તાઓ પર ફોર વ્હીલરોને ગેરકાયદે પ્રવેશબંધી ફરમાવવાની પ્રવૃત્તિ સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે કે પછી આ ગેરકાયદે થાંભલાઓ તંત્ર જોઈ ન શકે એટલું એટલું આંધળુ છે? દિગ્વિજય પ્લોટમાં જેટલી શેરીઓમાં પણ આવા ગેરકાયદે થાંભલાઓ મૂકવામાં આવ્યા છે એ તાત્કાલિક દૂર કરવામાં આવે એવી માંગ ઊઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial