Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા અમલની શક્યતાઃ
ગાંધીનગર તા. ર૪ઃ ગુજરાતમાં ૧પ થી ૧૭ નવા તાલુકાની રચનાની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હોવાથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા તેનો અમલ થઈ જશે, તેમ જણાય છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે ૧પ થી ૧૭ નવા તાલુકાઓની રચના થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસારઆ નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજુરી મળી શકે છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે. આ નિર્ણય સ્થાનિક સ્તરે શાસનને વધુ લોકાભિમુખ બનાવશે, અને વહીવટી તંત્રની કાર્યક્ષમતમાં વધારો કરશે. નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું નહીં પડે, જેના પરિણામે સમય અને શક્તિનો બચાવ થશે.
જો આ નિર્ણય અમલમાં આવેતો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા રચાયેલા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે. આ પગલાંને સરકાર દ્વારા લોકોની વર્ષો જુની માંગણીઓ સંતોષવા અને વહીવટી સુધારાઓ લાવવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial