Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણીનું પૂછવા જતાં પાઈપથી પ્રહારઃ
જામનગર તા. ૮: જામનગરના બેડીમાં શુક્રવારની સાંજે એક યુવાન પર ચાર શખ્સે તલવાર, ઢીકાપાટુથી હુમલો કરી માર મારતા ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો હતો. તેણે પોલીસમાં ફરિયાદ કરી છે. જ્યારે નારાયણનગરમાં એક માનસિક અસ્થિર યુવાને પાડોશી શખ્સે પાઈપથી હુમલો કર્યાે હતો.
જામનગરના ગુલાબનગર સામે આવેલા નારાયણનગરમાં રહેતા નીતિનભાઈ ગૌરીશંકર પંડયા નામના વૃદ્ધનો માનસિક અસ્થિરતાથી પીડાતો પુત્ર શનિવારે રાત્રે બાજુમાં રહેતા ગીરૂભા સોઢાને પાણી ક્યારે આવશે તેમ પૂછવા જતા ગીરૂભાએ આ યુવાનને ગાળો ભાંડ્યા પછી તેના પર પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. તે પછી નીતિનભાઈના ઘરમાં ઘૂસી ગીરૂભાએ પાઈપ ફટકારવા ઉપરાંત ઢીકાપાટુથી માર માર્યાે હતો. નીતિનભાઈએ પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગર નજીકના બેડીમાં હુસેની ચોકમાં રહેતા આદમ અબ્દુલ જામ નામના યુવાન પર શુક્રવારે સાંજે ઈદ્રીશ સાંઘાણી, હનીફ દાઉદ, દાઉદ હનીફ, નવાઝ માણેક નામના ચાર શખ્સે તલવાર, ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial