Advertisement
Author: નોબત સમાચાર

મિશન નવભારતના શપથ સમારોહમાં જામનગર જિલ્લાના હોદ્દેદારોનું સન્માન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: મિશન નવભારતનો શપથ સમારોહ તાજેતરમાં અમદાવાદ શહેરની મુખ્ય શાખા મણીનગરમાં યોજાયો હતો. જેમાં તમામ સભ્યોનું ભારત બનાવવા માટે શપથ લીધા હતા. શપથના મુખ્ય વિષયો જેવા કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત, સ્વદેશી અપનાવો, બ્લડ ડોનેશન અને જળ સંરક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ મિશન નવભારતના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેરના નેતૃત્વ હેઠળ યોજાયો હતો.

જેમાં મિશન નવભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય તથા આંતરરાષ્ટ્રીય સંત બૌદ્ધિક મંચના મહામંત્રી પ.પૂ. શંકરગીરી મહારાજની વિશેષ ઉપ    સ્થિતિમાં જામનગર જિલ્લાના પ્રમુખ અક્ષયભાઈ માડમ, પ્રદેશ મહામંત્રી સુનિલભાઈ મહેતા, જામનગર શહેર પ્રમુખ રાજેશભાઈ કારીયા, ગુજરાત પ્રદેશ અને જામનગર જિલ્લાના મહિલા હોદ્દેદારોનું ભારત માતાની છબિ વડે સન્માન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh