Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર તાલુકાની ડબાસંગ પ્રા.શાળામાં પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સ્વ

બાળકોને શૈક્ષણિક કિટ : શાળા પરિસરમાં વૃક્ષારોપણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: ડબાસંગ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સ્વ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પ્રજ્ઞાબેન જોશી (આઈ.સી.ડી.એસ. શાખા-જામનગર) જ્યોત્સનાબા જાડેજા (બાળવિકાસ યોજના અધિકારી, લાલપુર) સરપંચ જયેન્દ્રસિંહ જાડેજા, સભ્યો, દાતાઓ તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના દાતા સ્વ. અરવિંદભાઈ પરબતભાઈ શાહ હસ્તે રૂપેશભાઈ શાહ દ્વારા બાલવાટિકાના બાળકોને તેમજ વાર્ષિક પરીક્ષા-૨૦૨૫માં બાલવાટિકાથી ધો. ૮ માં આવેલ પહેલા, બીજા, ત્રીજા નંબરને દાતા દ્વારા શૈક્ષણિક કિટ આપવામાં આવી હતી. દાતા રૂપેશભાઈ વીરચંદભાઈ શાહનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતું. તેમજ અન્નપૂર્ણા પ્રોજેક્ટના કન્વીનર શિક્ષિકા તેજલબેન બારોટ,  અન્નપૂર્ણા પ્રોજેક્ટના પ્રેરણાસ્તોત્ર શાળાના આચાર્ય જગદીશભાઈ બારોટનું દાતા તથા મહેમાનોએ મોમેન્ટો દ્વારા સન્માન કર્યું હતું. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય જગદીશભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh