Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના અગ્રણીઓની મુખ્યમંત્રીને રજૂઆતઃ
જામનગર તા. ૧૩: જામનગર જિલ્લાના લાલપુરમાં ૧પ૦ કુટુંબને મફત પ્લોટ ફાળવવા અંગેના પરિપત્રના થતા ઉલ્લંઘન અંગે ભાજપના આગેવાન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
લાલપુરમાં છેલ્લા પાંચ વર્ષથી અનુસૂચિત તથા અછાત લોકોના મફત પ્લોટની માપણી તથા કબજો (જગ્યા ફાળવણી), મુખ્યમંત્રી, સાંસદ અને રાજ્યના મંત્રી સમક્ષ અરજદારો અને અમારા દ્વારા રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને પરિપત્ર બહાર પાડી ગામતળ નીમ કરવા તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવવા અંગેની કાર્યવાહીના ઝુંબેશરૂપે સમગ્ર રાજ્યમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી પૂર્ણ કરવાની તા. ૧૭-૯-ર૦રપ છે.
પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં પાંચ વખત તાલુકા પંચાયત દ્વારા ગામતળ નીમ કરવાની દરખાસ્ત ફાઈલ કરવામાં આવે છે. માત્ર અને માત્ર વહીવટી તંત્રને કામગીરી કરવી ન પડે તે હેતુથી અથવા લાભાર્થી વંચિત રાખવાનો ઈરાદો જોવા મળી રહ્યો છે.
તા. ર-૯-ર૦રપ ના ગુજરાત સરકારના સ્પષ્ટ તમામ કામગીરી તા. ૧૭-૯-ર૦રપ પહેલા પૂર્ણ કરવા સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, છતાં તાલુકા વહીવટી તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી.
આમ અનુ.જાતિ, પછાત વર્ગના લોકોને યેનકેન પ્રકારણે મફત પ્લોટનો લાભ ના મળે તે હેતુથી ૧પ૦ કુટુંબોને કોઈપણ કારણો દર્શાવી સહાયથી વંચિત રાખી નામ કમી કરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
અગાઉ લાલપુરમાં ગૌચરની જમીનમાં ત્યાં પ્લોટ ફાળવવાની દરખાસ્ત મામલતદારને મોકલાઈ હતી, પરંતુ દબાણ દૂર કરવાના વિવાદમાં પડવું પડે નહીં તે હેતુથી આવા દબાણો દૂર કરવામાં આવ્યા નથી, અને દરખાસ્ત ફાઈલ કરવામાં આવી છે.
આથી સત્વરે આ પરિપત્રની અમલવારી માટે જરૂરી સૂચના આપવામાં આવે તેવી રજૂઆત અને માગણી જામનગર જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ હીરાભાઈ ચનાભાઈ ચાવડાએ મુખ્યમંત્રી સમક્ષ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial