Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આવેલા તપોવન ફાઉન્ડેશન દ્વારા
જામનગર તા. ૧૦: જામનગર નજીક વિજરખી પાસે કંકુનગરમાં તપોવન ફાઉન્ડેશન સંચાલિત હરેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આગામી તા. ૧૫-૨-૨૬ના દિને મહાશિવરાત્રિ પર્વની પૂજા-અર્ચના, યજ્ઞ સાથે ભક્તિભાવથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૫-૨-૨૬ના સવારે ૬ વાગ્યે આરતી, ૭:૩૦ વાગ્યે હોમાત્મક લઘુરૂદ્રનો આરંભ થશે. બપોરે ૧ વાગ્યે બીડું હોમવામાં આવશે, બપોરે ૧:૩૦ વાગ્યે મહાપ્રસાદ (ફળાહાર), સાંજે ૬:૩૦ વાગ્યે નૂતન ધ્વજારોહણ, સાંજે ૭ વાગ્યે દીપમાલા અને મહા આરતી થશે. તા. ૧૫-૨-૨૬ રાત્રે ૯ વાગ્યાથી તા. ૧૬-૨-૨૬ના સવારે ૬ વાગ્યા સુધી ચાર પ્રહરની અભિષેક સાથે પૂજા અને આરતીના દર્શન થશે.
આ ધાર્મિકોત્સવમાં ઉપસ્થિત રહેવા ધર્મપ્રેમીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial