Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો. દ્વારા
જામનગરમાં અઢી દાયકા સુધી રણજી ક્રિકેટ કલબ (આર.સી.સી.) ના ક્રિકેટ કોચ તરીકે યુવા ખેલાડીઓને તાલીમ આપનારા ઈશાકભાઈ કુરેશીનું અવસાન થતાં જામનગર ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટબંગલાના મેદાન પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે એસો. ના પ્રમુખ અજયભાઈ સાદિયા, વિનુભાઈ ધ્રુવ, જીતુભાઈ પંડયા તેમજ ચંદ્રશેખર બક્ષીએ ઈશાકભાઈના સ્વભાવ, તાલીમની સિદ્ધિઓ, ક્રિકેટ પ્રત્યેના સમર્પણ ભાવનાને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઈશાકભાઈના પુત્ર શાહરૂખ ખુરેશીએ સૌની લાગણી પ્રત્યે ઋણ સ્વીકાર કર્યો હતો. આ સભામાં હર્ષદભાઈ ગાંધી, કશ્યપભાઈ મહેતા, ચેતનભાઈ મોનાણી, ગોવિંદભાઈ કેશસીયા તેમજ ક્રિકેટબંગલાના યુવા ક્રિકેટરો, વાલીઓએ ઈશાકભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આયોજન ક્રિકેટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે કર્યું હતું. ભરત મથ્થર તથા તેમની ટીમે જહેમત ઉઠાવી શ્રદ્ધાંજલિ સભાનું સંચાલન નોબતના પત્રકાર પી.ડી. ત્રિવેદીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial