Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધર્મેન્દ્રની સારવાર ચાલી રહી હતી ત્યાં
મુંબઈ તા. ૧૧: ધર્મેન્દ્ર પછી પ્રેમ ચોપરાને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળે છે. ૯૦ વર્ષની ઉંમરના આ અભિનેતા હૃદય સંબંધિત સમસ્યાઓને કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે.
બોલિવૂડના પીઢ અને શ્રેષ્ઠ અભિનેતા પ્રેમ ચોપરાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૯૦ વર્ષની ઉંમરના અભિનેતાને હૃદય સંબંધિત સમસ્યાઓને કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તાજેતરના અહેવાલો અનુસાર હાલ તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને માત્ર બેથી ત્રણ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. તેમના જમાઈ અને અભિનેતા વિકાસ ભલ્લાએ જણાવ્યું હતું કે, સાવચેતીના પગલાં રૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત સારી છે અને થોડા દિવસોમાં તેમને રજા આપવામાં આવશે.
આ બધું ઉંમર સંબંધિત છે અને એક નિયમિત પ્રક્રિયા છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ડો. જલીલ પાર્કરે જણાવ્યું કે, પ્રેમ ચોપરાને બે દિવસ પહેલા તેમના ફેમિલી કાર્ડિયોલોજિસ્ટ ડો. નીતિન ગોખલેની દેખરેખ હેઠળ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયતને ધ્યાનમાં રાખીને આઈસીયુની જરૂર નથી અને તેઓ રૂમ અને વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. તેમનો હૃદય સાથે સંબંધિત સમસ્યા ઉપરાંત તેમને વાયરસ અને ફેફસાના ઈન્ફેક્શનનો પણ સામનો છે, જેના માટે અમે તેઓની સારવાર કરી રહ્યા છીએ. તબીબી ટીમની દેખરેખ હેૃઠળ તેમની તબિયત સુધરતી જાય તેવી અપેક્ષા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial