Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હી બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર મૃતકો માટે
નવી દિલ્હી તા. ૧૧: દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં જીવ ગુમાવનાર મૃતકો પ્રત્યે સંવેદના સભર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આખો દેશ મૃતકોના પરિવારો તથા ઈજાગ્રસ્તોની પડખે ઊભો છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ કહ્યું છે કે દોષિતોને બક્ષવામાં નહીં આવે અને કડકમાં કડક સજા કરાશે.
રાહુલ ગાંધીએ પણ શોક વ્યક્ત કર્યો
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે બ્લાસ્ટના સમાચાર અત્યંત દુઃખદ છે અને ચિંતાજનક છે. દુઃખના સમયમાં હું પરિજનોને ગુમાવનારા પરિવાર સાથે ઊભો છું અને સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી પ્રાર્થના.
કેજરીવાલે કરી તપાસની માંગ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શોક વ્યક્ત કરતાં કહ્યું કે લાલ કિલ્લા પાસે બ્લાસ્ટના સમાચાર અત્યંત ચિંતાજનક છે. પોલીસ અને સરકારે તાત્કાલિક તપાસ કરવી જોઈએ કે બ્લાસ્ટ કેવી રીતે થયો અને આ બ્લાસ્ટ પાછળ કોઈ કાવતરૃં છે કે નહીં. દિલ્હીની સુરક્ષામાં બેદરકારી સાંખી ન શકાય.
દિલ્હી પોલીસનું પ્રથમ સત્તાવાર નિવેદન
દિલ્હી પોલીસ કમિશનર સતીશ યોલચાએ કહ્યું, ગલકાલે સાંજે ૬:૫૨ વાગ્યે ધીમી ગતિથી આવતી એક ગાડી રેડ લાઈટ પર ઊભી રહી અને તે બાદ તેમાં બ્લાસ્ટ થયો. આસપાસની ગાડીઓને પણ ભારે નુકસાન થયું. એન.આઈ.એ. સહિતની તમામ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી છે. મેં ગૃહમંત્રી સાથે પણ સમગ્ર ઘટના અંગે વાત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial