Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ત્રણ સાગરિતના નામ ખૂલ્યાઃ
જામનગર તા. ર૧: જામનગરના ખીજડિયા બાયપાસ પાસેથી એલસીબીએ મૂળ ખેડા જિલ્લાના શખ્સને પકડી પાડી પૂછપરછ કરતા આ શખ્સે પોતાના ત્રણ સાગરિત સાથે મળી વાંકાનેર તાલુકાના અમરસર ગામમાંથી ઘેટા-બકરા ચોરી કર્યાની કબુલાત આપી છે.
જામનગરની સ્થાનિક ગુન્હાશોધ શાખા દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગ દરમિયાન જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડિયા બાયપાસ પાસે એક શખ્સની શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી.
મૂળ ખેડા જિલ્લાના નડિયાદમાં ડાકોર રોડપર રહેતા રોહિત જેન્તિભાઈ તળપદા નામના આ શખ્સની પૂછપરછ કરાતા તેણે વાંકાનેર તાલુકાના અમરસર ગામમાં પોતાનાી સાગરિત સંદીપ છગનભાઈ સલાટ, કિરણ સલાટ ઉર્ફે કારા તથા દિપક સલાટને સાથે રાખી ઘેટા-બકરાની ચોરી કર્યાની કબૂલાત આપી છે. આ શખ્સ ઝડપાઈ ગયાની વિગતો વાંકાનેર પોલીસને આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial