Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એડવોકેટને પોલીસ ફરિયાદ પાછી ખેંચવાનું કહી પાડોશીએ આપી ધમકી

વાંસામાં લાદીનો કટકો ફટકાર્યાની રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના પંચવટી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા વકીલે પોતાના પાડોશી સામે પોલીસમાં ફરિયાદ કર્યા પછી તે ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ગઈકાલે પાડોશીએ ગાળો ભાંડી ધમકી આપી હતી અને વાંસામાં લાદીનો કટકો ફટકારી દીધો હતો.

જામનગરના પંચવટી ગૌશાળા વિસ્તારમાં ભગવતી એપાર્ટમેન્ટમા રહેતા એડવોકેટ કમલેશ બિહારીભાઈ પંડયાના એપાર્ટમેન્ટમાંથી રવિવારે રાત્રે અજાણ્યા વ્યક્તિઓ સ્કૂટર લઈને નીકળતા કમલેશભાઈએ સ્કૂટર કોનુ છે તેમ પૂછ્યા પછી ડખ્ખો થયો હતો.

આ વ્યક્તિઓએ તે એપાર્ટમેન્ટમાં જ રહેતા જીતુ મનસુખભાઈ વિઠ્ઠલાણીને બોલાવ્યા પછી જીતુભાઈએ ગાળો ભાંડી ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સોમવારે કમલેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેનો ખાર રાખી ગઈકાલે સાંજે જીતુભાઈએ કમલેશભાઈના પત્ની સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી. આ વેળાએ જ આવી ગયેલા કમલેશભાઈને ફરિયાદ પાછી ખેંચી લેશે નહીં તો પતાવી દઈશ તેમ કહી જીતુભાઈએ ત્યાં પડેલી લાદીનો કટકો ઉપાડી વાંસામાં ફટકારતા કમલેશભાઈએ ફરીથી ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh