Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતક પાસે લાયસન્સ ન હોવાનુું પણ ખૂલ્યું:
જામનગર તા. ર૯: જામજોધપુરના સતાપર ગામથી ઉદેપુર તરફ જવાના રસ્તા પર ગઈકાલે સવારે જૂનાગઢ જિલ્લાના એક વૃદ્ધનું મોટરસાયકલના અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે. આ વૃદ્ધ પાસે લાયસન્સ ન હોવાનું ખૂલ્યું છે. પોલીસે તેમના પરિવારજનના નિવેદન પરથી આગળની કાર્યવાહી કરી છે.
જામજોધપુર તાલુકાના સતાપર ગામથી ઉદેપુર તરફ જવાના રસ્તા પર ગઈકાલે સવારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાટવા ગામના નારણભાઈ ગોપાલભાઈ નકુમ નામના પાંસઠ વર્ષના કારડીયા રાજપૂત વૃદ્ધ જીજે-૧૧ પી ૩૨૫૩ નંબરના બાઈક પર પસાર થતાં હતા. આ વેળાએ કોઈ રીતે તેઓનું બાઈક અકસ્માતનો ભોગ બન્યું હતું. જેમાં ઘવાયેલા નારણભાઈનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. આ વૃદ્ધ પાસે લાયસન્સ પણ ન હોવાનું ખૂલ્યું છે. જયેશભાઈ ગગજીભાઈ નકુમ નામના આસામીના નિવેદન પરથી પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial