Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિતળ ચાંદનીમાં ઠાકોરજીનું ગોપાલ સ્વરૂપ તરબોળ
દ્વારકાધીશ જગતમંદિરમાં શરદ પૂનમની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે ગતરાત્રિના મંદિરના પરિસરમાં પરંપરાગત રીતે શરદ રાસોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીને વિશેષ શ્રૃંગાર-વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા, જ્યારે પૂનમના ચંદ્રમાના અજવાળે રાત્રિના ૮ થી ૧૦:૩૦ દરમ્યાન યોજાયેલા રાસોત્સવમાં પૂજારી પરિવાર સહિત વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો મનમુકીને રાસોત્સવમાં ઝુમ્યા હતા. મંદિર પરિસરના મુખ્ય મંદિર સિવાયના સોળ મંદિરનું સંચાલન કરતા શારદાપીઠના પટ્ટરાણી પરિસરમાં પૂજારી આનંદભાઈ તથા વિજયભાઈ દ્વારા મહાઆરતી, મહાભોગ, પ્રસાદનું વિતરણ કરાયું હતું. ચંદ્રમાની શીતળ ચાંદનીના કિરણોની અમૃતવર્ષાથી ઠાકોરજીનું ગોપાલજી સ્વરૂપ તરબોળ થયું હતું. ઠાકોરજી સન્મુખ ધરાયેલ દૂધ પૌઆની પ્રસાદીનું ભાવિકોમાં વિતરણ કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial