Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાતાઓ તરફથી રક્તદાતાને અપાશે ભેટઃ
ખંભાળીયા તા. ૬: દ્વારકા જિલ્લાના ભાણવડમાં જય સોમનાથ ગ્રુપ તથા સહયોગ ગ્રુપ અને જેઠવા પરિવાર દ્વારા સ્વ. ભીમભા રતનસંગ જેઠવાની વાર્ષિક પુણ્યતિથિએ તા. ૭-૯-૨૫ના રવિવારના રોજ રણજીતપરાના વિશ્વકર્મા મંદિરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મહેન્દ્રસિંહ ભીમભા જેઠવા તથા ધર્મેન્દ્રસિંહ ભીમભા જેઠવા દ્વારા રક્તદાન માટે લોકોને અપીલ કરવામાં આવી છે. આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર દરેકને યેરા કંપનીનો આઈસ્ક્રીમ સેટ ભેટ અપાશે. બહેનો માટે રક્તદાન માટે ખાસ અલગ વ્યવસ્થા રાખેલ છે.
ભાણવડના જેઠવા પરિવાર, જય સોમનાથ ગ્રુપ ઉપરાંત સહયોગ ગ્રુપ, એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ, જલારામ યુવક મંડળ, સતવારા સોશ્યલ ગ્રુપ, બાલાહનુમાન ગ્રુપ-રણજીતપરા, વૃંદાવન ગ્રુપ-ત્રણ પાટીયા, વિશ્વેશ્વર ધૂન મંડળ ભાણવડ, શિવ ગ્રુપ રણજીતપરા-ભાણવડ, રઘુવીર સેના ભાણવડ વિગેરે સંસ્થાઓ પણ આ રક્તદાન કેમ્પમાં જોડાનાર છે. જેથી માનવસેવા એજ પ્રભુસેવાનું સુત્ર સાર્થક થાય અને રક્તદાન દ્વારા કોઈને જીવનદાન મળે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial