Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી' માં ખેલૈયાનો વડાપ્રધાનની વેશભૂષામાં સળગતી ઈંઢોણી સાથે રાસ

૫ંચેશ્વર ટાવર પાસે શ્રી ચામુંડા ગરબી મંડળની ગરબીમાં ઉમટી મેદનીઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં અનેક પ્રાચીન ગરબીઓ એવી છે, જે પોતાની આગવી વિશેષતાઓ ધરાવે છે અને ઘણી ગરબીઓ હવે પોતાની આગવી લોકપ્રિયતા મેળવવા નવા પ્રયોગો કરે છે, જે પૈકી પંચેશ્વર ટાવર વિસ્તારમાં દાયકાઓથી યોજાતી શ્રી ચામુંડા ગરબી મંડળની ગરબીમાં છેલ્લા થોડા વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષાવાળો રાસ ખૂબ ખ્યાતિ પામ્યો છે. આ વખતે પણ ખેલૈયાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષાવાળી સાથે ઓપરેશન સિંદૂરની થીમ પર રાસ સાથે આકર્ષણ જગાવ્યું હતું. વડાપ્રધાન મોદીની વેશભૂષામાં માથા પર સળગતી ઈંઢોણી લઈ ફરતા ખેલૈયાઓને નિહાળવા મેદની ઉમટી પડી હતી તથા અન્ય ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સળગતી ઈંઢોણી સાથે ગરબે ઘૂમ્યા હતા અને સમગ્ર રાસે જમાવટ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh