Advertisement
Author: નોબત સમાચાર

મિયાત્રા ગામના નાના ખેડૂતની સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂબરૂ મુલાકાત ગોઠવી બિરદાવી

જામનગર જિલ્લાનું ગૌરવ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગર જિલ્લાના મિયાત્રા ગામે યુવાન ધર્મેન્દ્રભાઈ કારાવદરાને ગૌમાતાનું પાલન કરતા અને ગોકુલ મિશન યોજનામાં સફળતમ પરિણામો મેળવતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમને સત્તાવાર રીતે દિલ્હી આવવા નિમંત્રણ આપ્યું હતું.

ધર્મેન્દ્રભાઈ કારાવદરા દિલ્હી ગયા અને ત્યાં તેમની સાથે વડાપ્રધાને મિયાત્રામાં અતિ આધુનિક ગૌશાળા, ગાયનું શુદ્ધ દૂધ, ઘી, ગૌમૂત્ર પ્રોડક્ટોનું વેંચાણ, ગૌચારા તથા ગાયમાતાના આહાર માટેની નૈસર્ગિક ખેતી સાથેની વ્યવસ્થા, કોર્પોરેટ કંપની જેવું સંચાલન વિગેરેની વિગતો જાણી ધર્મેન્દ્રભાઈને બિરદાવી તેના પ્રોજેક્ટ અંગે કેટલાક માર્ગદર્શક સૂચનો પણ કર્યા હતાં. આ પ્રસંગે દેશના કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ ધર્મેન્દ્રભાઈ સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી તેમના પ્રોજેક્ટ માટે તમામ સહકાર આપવાની ખાત્રી આપી હતી.

ધર્મેન્દ્રભાઈ કારાવદરાએ આ બહુમાન સંદર્ભમાં યોજેલી  પત્રકાર પરિષદમાં વડાપ્રધાન પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતુંકે, દેશના વડાપ્રધાન જેવી મહાન હસ્તીને મળવું એક સ્થાન ગણાય છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીની નાના ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના અભિગમના કારણે મને વડાપ્રધાન સાથે ૩૦ મિનિટ જેવો વાર્તાલાપ કરવાનો અવસર મળ્યો હતો. વડાપ્રધાન દેશના નાના-મોટા ખેડૂતોની સતત ચિંતા કરે છે અને તેમના ઉત્કર્ષ માટે સદાય પ્રયત્નશીલ રહે છે તે મારી મુલાકાતથી પૂરવાર થયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh