Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જર્જરિત થયેલી આખી દીવાલ નવી બનાવોઃ
જામનગર તા. ર૭: જામનગરના શંકર ટેકરી, પાણીના ટાંકાની દીવાલ તૂટી પડતા અયુબભાઈ ખફીનું ઈજા થવાના કારણે મૃત્યુ થયું હતું. આથી મૃતકના પરિવારને સહાય કરવા માગણી કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, સ્થાનિક કોર્પોરેટર આનંદ રાઠોડ વગેરેએ કમિશનરને પાઠવેલ આવેદનમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, પાણીના ટાંકાની ઈલેક્ટ્રીક મોટર બંધ કરવાનું ભૂલાઈ જતા પાણી દીવાલ પાસે એકત્ર થઈ જતા તેના કારણે દીવાલ નબળી પડતા તૂટી પડી હતી. આથી મૃતકના પરિવારને સહાય-વળતર આપવું જોઈએ.
આ ઉપરાંત પાણીના ટાંકાની સંપૂર્ણ દીવાલ જુની અને જર્જરિત હોય, તેને નવી બનાવવી જોઈએ જેથી વધુ નુક્સાન અટકાવી શકાય.
(તસ્વીરઃ પરેશ ફલિયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial