Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પ્રસરતા જાણ થઈઃ
જામનગર તા. ૨૭: જામનગરના નવાગામ ઘેડ સ્થિત મધુરમ સોસાયટીમાં ત્રણેક દિવસથી બંધ પડેલા એક મકાનમાંથી મહિલાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહની દુર્ગંધ પ્રસરતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટીમાં બંધ શેરીના કેટલાક ટેનામેન્ટમાંથી બંધ રહેલા એક ટેનામેન્ટમાં દુર્ગંધ આવતી હોવાની કોઈએ પોલીસને જાણ કરતા સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો દોડી ગયો હતો.
તે બંધ ટેનામેન્ટ ખોલાવીને જોતા અંદરથી એક મહિલા છતમાં લટકતા જોવા મળ્યા હતા. પોલીસે તે મહિલાને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. અંદાજે ત્રણેક દિવસથી આ ટેનામેન્ટનું બારણું બંધ હતું. પોલીસે બારણું તોડાવવું પડ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મહિલાની ઓળખ મેળવવા તેમજ તેણીની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. મૃતક મહિલાનું નામ ભૂમિબેન મકવાણા હોવાનું જાણવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial