Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાહેરાનામા મુજબ ભારે વાહનો પસાર નહીં થતા હોવા છતાં
જામનગર તા. રરઃ જામનગરમાં કાલાવડ નાકા બહારના જજરિત ઓવરબ્રિજ પર ગઈકાલે રાત્રે ટ્રાફિક જામ થઈ જતા તંત્રનો જીવ તાળવે ચોંટ્યો હતો, પરંતુ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે સવારે તાત્કાલિક અસરથી જાહેરનામાની અમલવારી સંદર્ભનું બોર્ડ મૂકાયું હતું અને આડસો પર લગાવાઈ હતી. જો કે, અહીંથી ભારે વાહનો પસાર થઈ રહ્યા નહીં હોવાનું જણાવાયું હતું.
જામનગરમાં કાલાવડ નાકા બહારના પુલ ઉપર ગઈકાલે રાત્રે એકાએક ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો, અને રોડની બન્ને તરફ એક કિલોમીટરથી વધુ લાંબી લાઈન લાગી ગઈ હતી જેના કારણે અનેક વાહનચાલકો ફસાયા હતાં. જો કે, ગઈકાલે કોઈ મોટા ભારે વાહનો અહીંથી પસાર થયા ન હતાં, પરંતુ રિક્ષા, ટુવ્હીલર સહિતના વાહનો અટવાયા હતાં, અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ ગઈ હતી. આ પુલ ઉપર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ભારે વાહનની અવરજવર સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, તેમ છતાં આ જોખમી પુલ ઉપર વાહનની અવરજવર મોટા પ્રમાણમાં થતી હોવાથી ગઈકાલે રાત્રિના ટ્રાફિકજામના દૃશ્યને નિહાળીને તંત્ર દ્વારા ભારે ચિંચા વ્યક્ત કરવામાં આવી હતી.
પોલીસ ટૂકડીએ દોડી જઈ ભારે જહેમત લઈને આખરે એકાદ કલાક પછી વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાનું તંત્ર આજે વહેલી સવારે તાત્કાલિક અસરથી હરકતમાં આવી ગયું હતું અને કમિશનરના જાહેરનામાની સૂચના સાથેના બોર્ડ મૂકી દેવામાં આવ્યા હતાં અને ભારે વાહનો અહીંથી પસાર ન થઈ શકે તે માટે લોખંડના જાડા એંગલો સાથેની આડશ પણ મૂકી દેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial