Advertisement
Author: નોબત સમાચાર

અયોધ્યાનગરમાં નિદ્રાધીન હાલતમાં બેભાન બની ગયેલા પરપ્રાંતીય યુવાનનું નિપજ્યું મોત

મૃતકના સંબંધીનું પોલીસે નિવેદન નોંધ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના ગોકુલનગર પાસે અયોધ્યાનગરમાં રહેતા એક યુવાન નિદ્રાધીન થયા પછી બેભાન બની ગયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના ગોકુલનગર નજીક અયોધ્યાનગરમાં વસવાટ કરતા સંજયભાઈ શિવપ્રસાદ અગ્રાવત નામના બત્રીસ વર્ષના યુવાન રવિવારે રાત્રે પોતાના ઘરે નિદ્રાધીન થયા પછી ગઈકાલે સવારે સાડા આઠેક વાગ્યા સુધી ઉઠ્યા ન હતા. આ યુવાનને ઉઠાડવા માટે અજયભાઈ નંદલલાલ અગ્રાવત ગયા ત્યારે સંજયભાઈ બેભાન જેવી હાલતમાં જણાઈ આવતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બેભાન અવસ્થામાં જ સંજયભાઈનું મૃત્યુ નિપજ્યું છે. અજયભાઈ અગ્રાવતે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh