Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના ભાઈએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૧૭: ધ્રોલ પાસે પાંચેક દિવસ પહેલા રાત્રિના સમયે ખેડા જિલ્લાના એક યુવાનને મોટરે ઠોકર મારતા ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીક તાજ હોટલ પાસેથી ગઈ તા.૧૧ની રાત્રિના સાડા બારેક વાગ્યે પસાર થતાં મૂળ ખેડા જિલ્લાના ડભાલી ગામના મણીભાઈ દેસાઈભાઈ રાઠોડ નામના યુવાનને જીજે-૩-ઈએલ ૩૨૧૮ નંબરની મોટરે ઠોકર મારીને ફંગોળી દીધા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા મણીભાઈનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ મહેન્દ્રભાઈ રાઠોડે પોલીસમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial