Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાઃ રખડતા ઢોર, ગૌમાતાઓ માટે કાયમી વ્યવસ્થા કરવા માંગણીઃ
ખંભાળીયા તા. ર૪ઃ ખંભાળીયામાં તાજેતરમાં હાઈવે પર રખડત ઢોરના કારણે બે યુવાનોના મૃત્યુના પગલે તંત્ર જાગ્યું છે તથા પોલીસ, રેવન્યુ અને પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરના પ્રશ્ને કડક કાર્યવાહી શરૃ થઈ છે ત્યારે ખંભાળીયાના કુબેલીયા હનુમાનના મહંતશ્રી ભરતદાસબાપુ દ્વારા તંત્રો દ્વારા સંકલન કરીને રખડતી ગૌમાતાઓ તથા નંદીઓનો પ્રશ્ન હલ કરવા માંગ કરાઈ છે.
ખંભાળીયા શહેરની નજીક આવેલી ઘણી ગૌશાળા તથા સંસ્થાઓને ઘાસચારો મળે કે પશુઓને રાખવા બેરીકેડ, છાપરા તથા ધ્યાન રાખવા માણસોની વ્યવસ્થા થાય તો ત્યાં આ રખડતા પશુઓને આશ્રય પણ મળે, ખોરાક પણ મળે અને ગૌમાતાને જ્યાં-ત્યાં રખડવું ના પડે તેવું થાય તેમ હોય, આવી રીતે તંત્રો દ્વારા સંકલન કરવા માંગ કરવામાં આવી છે.
સરકારી જગ્યા ફાળવવા ફરીથી તજવીજ શરૃ...!
પ્રાંત અધિકારી કે.કે. કરમટાના પ્રયાસોથી સિંહણ વડાલીયા પાસે સરકારી જગ્યા ફાળવવા તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. ચીફ ઓફિસર રાહુલ કરમૂર દ્વારા રાજ્ય સરકારમાં ઢોરવાડો, ગૌશાળા માટે ખાસ ગ્રાન્ટની પણ માંગણી કરવામાં આવી છે. જેથી વ્યવસ્થિત રીતે ગૌશાળા બની શકે. ખંભાળીયામાં અગાઉ પાલિકા પાસે બરછા વાડીમાં ઢોરવાડો હોય, આ જગ્યા પણ શહેરમાંથી રખડતા ઢોરને પકડી રાખવામાં ઉપયોગ લઈ શકાય તેવી છે.
ખંભાળીયામાં રખડતા ઢોરનો ત્રાસ હોય, આના કારણે કેટલાાક મૃત્યુ પણ પામ્યા હોવાના તથા પશુઓ અકસ્માતમાં ઘાયલ થયાના બનાવો બન્યા હોય, તથા ખંભાળીયા સહિત રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા હાઈકોર્ટના આદેશ તથા રાજ્ય સરકારની સૂચનાના પગલે ખંભાળીયા પાલિકા દ્વારા પણ શહેરમાં રખડતા ઢોર પકડીને ક્યાં રાખવા તે પ્રશ્ન હોય, હાલ તો સ્વૈચ્છિક સંસ્થાઓ તથા ગૌશાળાઓની મદદથી આવા પશુઓને રાખવા માટે તજવીજ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial