Advertisement
Author: નોબત સમાચાર

જોગવડ નજીક રવિવારી મેદાનમાંથી બેભાન મળી આવેલા પરપ્રાંતીયનું મૃત્યુ

કરિયાણું લેવા નીકળ્યા પછી પરત ફર્યા ન હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગર-ખંભાળિયા રોડ પર કજુરડા ગામ પાસે એક કોલોનીમાં રહેતા મૂળ પંજાબના એક યુવાન કરિયાણું લેવા માટે રવિવારે નીકળ્યા પછી જોગવડ નજીક રવિવારી મેદાન પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા કજુરડા ગામ પાસે આરબીએમ કોલોનીમાં વસવાટ કરતા મૂળ પંજાબ રાજ્યના કપુરથાલા જિલ્લાના ભડાસ ગામના વતની સુનિલ ભોલાભગત (ઉ.વ.૩૩) નામના યુવાન રવિવારે પોતાના રહેણાંકેથી કરિયાણું લેવા માટે જવાનું કહીને નીકળ્યા પછી સાંજ સુધી પરત આવ્યા ન હતા.

આ યુવાનના ચિંતાતૂર ભાઈ રાજ ભોલા ભગતે શોધખોળ શરૃ કર્યા પછી મેઘપર નજીક જોગવડ ગામની સીમમાં રવિવારી બજાર પાછળના મેદાનમાં આવેલા કોલસાના કારખાના પાછળથી સુનિલભાઈ બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

આ યુવાનને સારવાર માટે સિક્કાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. રાજ ભોલા ભગતે પોલીસને જાણ કરતા મેઘપર પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh