Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ૧૦: ખાતેદાર ખેડૂત અકસ્માત જુથ વીમા યોજનામાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોના પરિવારના સભ્યોનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં તેઓની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોય, તો તેમણે ૧૦૦% લેખે રૂ।. ૪ લાખની સહાય મળે છે. આ યોજનાની સહાય મેળવવા માટે અરજદારે મૃત્યુ અથવા અપંગતાના થયાની તારીખથી ૧૫૦ દિવસ સુધીમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત કચેરીમાં અરજી કરવાની હોય છે. ભાણવડ તાલુકાના ગુંદા ગામના ખેડૂતને શોક લાગવાના કારણે બે હાથ ગુમાવ્યા હોવાથી આ યોજનાનું તા.પં. ખેતીવાડી શાખા દ્વારા અરજદારને જરૂરી મદદ કરી ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ યોજનાની વધુ માહિતી માટે ભાણવડ તાલુકા પંચાયતની ખેતીવાડી શાખાના ઈ.ચા. વિસ્તરણ અધિકારી (ખેતી) રોહિત એ. પટેલનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial