Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભક્તો ભોળાનાથનાં વિવિધ સ્વરૂપનાં દર્શન કરી થયા પાવન
'છોટીકાશી'નું બિરૂદ પામેલા જામનગરમાં શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે વિવિધ શિવાલયોમાં શિવલીંગને વિશેષ શ્રીંગાર અર્પણ કરવામાં આવતા ભક્તોને ભોલેનાથનાં વિવિધ સ્વરૂપની ઝાંખી થઇ હતી. પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલ શિવાલયોમાં પણ ધર્મોત્સવ ઉજવાયો હતો. શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિરે સુવર્ણ શિવલીંગની ઝાંખી સાથે અન્નકૂટ ઉત્સવનાં દર્શન થયા હતાં. એ જ રીતે લોહાણા મહાજન વાડી સ્થિત શ્રી ભીમાશંકર મહાદેવ મંદિરે પણ શિવલીંગને વિવિધ ધાન્યનાં શ્રીંગાર સાથે અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરે કૈલાસ પર્વતનું મોડેલ નિર્માણ કરી અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. શિવાલયોમાં શ્રાવણનાં સોમવારે મહાઆરતી સહિતનાં આયોજનો પણ થયા હતા. ભક્તોએ ભોળાનાથનાં વિવિધ સ્વરૂપની ઝાંખી કરી ધન્યતા અનુભવી હતી અને હર હર મહાદેવનો નાદ ગૂંજી ઉઠ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial