Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના ભાઈનું નોંધાયું નિવેદનઃ
જામનગર તા. ૨૯: જામનગરના દિગ્વિજય વુલનમીલ વિસ્તારમાં ભાડાના મકાનમાં વસવાટ કરતા પરપ્રાંતીય યુવાને ગઈકાલે અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરના દિગ્વિજય વુલનમીલ વિસ્તારમાં આવેલી આનંદ સોસાયટી નજીક ક્રિષ્ના ચોકમાં ભાડેના મકાનમાં વસવાટ કરતા મૂળ ઉત્તર પ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના બહોરીપુર ગામના વતની ઉપેન્દ્ર રાકેશસિંઘ રાઠોર (ઉ.વ.૩ર) નામના યુવાને ગઈકાલે બપોરથી સાંજ સુધીમાં કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો છે.
આ યુવાને તેની ઓરડીમાં રહેલા લોખંડના પાઈપમાં દોરી બાંધી પોતાની જાતને ટીંગાડી લીધી હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું તેમના ભાઈ મહેન્દ્રપ્રતાપ રાઠોરે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial