Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધ્ય પ્રદેશના ખંડવામાં ગમખ્વાર દુર્ધટના
ભોપાલ તા. ૩: મધ્ય પ્રદેશના ખંડવામાં મૂર્તિ વિસર્જન વખતે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટ્રેકટર નદીમાં ખાબકતા ૧૦ લોકોના મૃત્યુ થયા છે. અને હજુ ૧૪ લોકો ગુમ છે.
નવરાત્રિના નવ દિવસ દરમ્યાન ઘણી જગ્યાએ માં દૂર્ગાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. જ્યારે દશેરાના દિવસે માતા દૂર્ગાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જો કે, આ વિસર્જનના દિવસે મધ્ય પ્રદેશ (એમ.પી.) ના ખંડવામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.
માતાજીની મૂર્તિના વિસર્જન વખતે ટ્રેકટર નદીમાં ખાબક્યું હતું. જેમાં ૧૦ લોકોના મૃત્યુ થયા છે અને ૧૪ જેટલા લોકો ગુમ છે.
પ્રાપ્ત થતી વિસ્તૃત વિગતો મુજબ ખંડવાના પાંધાના પોલીસ સ્ટેશન વિસ્તારના અરદલા કલા ગામના કેટલાક લોકો માં દૂર્ગાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ટ્રેકટર લઈને જઈ રહ્યા હતા. ટ્રેકટર જયારે આ વિસ્તારની જમાલી પાસેની આબના નદીના પુલ પાસેથી પસાર થયું ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રેકટર ચાલકે સંતુલન ગુમાવતા ટ્ર્ેકટર ટ્રોલી સહિત નદીમાં ખાબક્યું હતું. ટ્રેકટરમાં અંદાજિત ૨૦ થી ૨૨ લોકો સવાર હતા. તે તમામ નદીમાં ડૂબ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ પ્રશાસને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. વિસર્જનના દિવસના કારણે અનેક લોકો નદીના ઘાટ પાસે હાજર હતા. તેમણે પણ નદીમાં ડૂબેલા લોકોને બચાવવાની કોશિશ કરી હતી.
મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં ૧૦ લોકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના બાળક છે. તમામના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હજુ બચાવ અને રાહત કામગીરી ચાલુ છે, જ્યારે ૧૪ લોકો ગાયબ છે, એમ પ્રશાસને જણાવ્યું હતું. રેસ્ક્યુ કરવામાં આવેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ટ્રેકટર પુલ પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક તે નદીમાં પલટી ખાઈ ગયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial