Advertisement
Author: નોબત સમાચાર

પ.પૂ. જલારામ બાપાની રર૬મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત જામનગરના લોહાણા સમાજની મિટિંગ

રઘુવંશી ભાઈઓ-બહેનો, યુવાનોને ઉપસ્થિત રહેવા અનુરોધઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: આગામી સંવત ર૦૮ર કારતક સુદ ૭ ને બુધવાર, તા. ર૯-૧૦-ર૦રપ ના સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાની જન્મ જયંતીનો ઉત્સવ આવી રહેલ હોય તે પ્રસંગને ધામધૂમથી ઉજવવા તથા લોહાણા સમાજનું સમૂહ જ્ઞાતિભોજન (નાત) સહિતના પ્રસંગો ઉજવવાનું આયોજન કરવામાં આવશે.

આગામી પ્રસંગને વિશિષ્ટ રીતે ધામધૂમપૂર્વક ઉજવવાના આયોજન માટે જામનગર લોહાણા સમાજની મિટિંગ તા. પ-૧૦-ર૦રપ ને રવિવારના સાંજે ૬ થી ૭ દરમિયાન શ્રી લોહાણા મહાજનવાડી, ધામેચાવિંગ, પંચેશ્વર ટાવર, જામનગરમાં રાખવામાં આવી છે. આ મિટિંગમાં લોહાણા જ્ઞાતિના ભાઈઓ-બહેનો, યુવાનો, વડીલો, લોહાણા સમાજની વિવિધ સંસ્થાના હોદ્દેદારો સહિત તમામ કાર્યકરોને બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્ય જીતેન્દ્ર એચ. લાલ (જીતુ લાલ) અને સદસ્ય સૌરભભાઈ બદિયાણીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh