Advertisement
Author: નોબત સમાચાર

બે સદી જુની સમાધીઓ તોડવાની ઘટનાને જામનગર દશનામ ગોસ્વામી સમાજે વખોડીઃ આવેદન પાઠવાયુ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાધુ સમાજની

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: સોમનાથ મહાદેવ મંદિરના સોમનાથ ટ્રસ્ટ દ્વારા દશનામ ગોસ્વામી સમાજના વડવાઓની ર૦૦ વર્ષ જુના સમાધી સ્થળોને તોડી પાડવામાં આવ્યા છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જામનગરના દશનામ ગોસ્વામી સમાજે સોમનાથ ટ્રસ્ટની આ કામગીરીને સખત શબ્દોમાં વખોડીને વિરોધ પ્રદર્શન કર્યો છે. આથી આ સંદર્ભે યોગ્ય તપાસ કરાવવા અંગે દશનામ ગોસ્વામી સમાજ-જામનગર દ્વારા કલેક્ટર મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભમાઈ પટેલ તથા રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાને રજૂઆત કરવામાં આવી છે. આ તકે જામનગર દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ધર્મેન્દ્રગીરી ગોસાઈ, સનાતન દશનામ મહામંડળ સૌરાષ્ટ્રના પ્રમુખ કમલભાઈ ગોસાઈ, સનાતન દશનામ મહામંડળ જામનગર જિલ્લાના પ્રમુખ સંજયભાઈ ગોસાઈ, જામનગર લાલવાડી યુવક મંડળના પ્રમુખ ગોપાલગીરી ગોસાઈ, રાજેશભાઈ ગોસાઈ, ભરતભાઈ ગોસાઈ સહિતના સમાજના આગેવાનો જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh