Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભવ્ય સંતવાણી - કાનગોપીના કાર્યક્રમે રંગત જમાવી
જામનગર તા. ૧૭: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ પ્રખ્યાત શ્રીનાથજીદાદાની પાવન જગ્યા દાણીધારધામમાં ૩૯૯મો શ્રાદ્ધ ઉત્સવ તા. ૧૧-૯-ર૦રપ, ગુરૂવારના ભવ્ય આયોજન સાથે યોજાયો હતો.
'તુહી રામ પ્યારે રામ' ના નામથી ગુંજતી તેમજ ૧ર જીવાત્માઓની ચેતન સમાધિ આવેલ છે તેવી સંત શ્રી નાથજીદાદાની પાવનકારી અને સંત શ્રી ઉપવાસીબાપુની તપોભૂમિ દાણીધાર ગામમાં શ્રીનાથજીદાદાનો ૩૯૯મો શ્રાદ્ધ ઉત્સવ તા. ૧૧ ના સવારે સમાધિ પૂજનથી શરૂ થયો હતો. ત્યારપછી પ૧ થાળ ધરાવવામાં આવ્યા હતાં અને સવારથી સાંજ સુધી રાધેકાન ગ્રુપ દ્વારા કાન ગોપીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેનો સૌ ગ્રામ્યજનોએ લાભ લીધો હતો.
આ ઉપરાંત, રાત્રે ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ભવ્ય સંતવાણીમાં લોક ભજનિક અજયસિંહ ડાભી, લોકગાયક વિજય ગઢવી, સંતવાણી કલાકાર અનોપસિંહ વાઘેલા દ્વારા આ ભવ્ય લોકડાયરામાં ભાવિક ભક્તોનું મનોરંજન કર્યુ હતું.
આ શ્રાદ્ધ ઉત્સવમાં સુરસાંગણા હનુમાન મંદિરના મહંત વાલદાસબાપુ, અનીડા વાછરાના મહંત દિવ્યાનંદબાપુ તથા પૂજારી હેમુભાબાપુ, જુનાગઢ ભગવદગુરૂ આશ્રમ સૂર્યમંદિરના મહંતશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર જગજીવનદાસજી મહારાજ, ત્રિકમદાસજીબાપુ, મહંત કિશનદાસબાપુ (જુનાગઢ), જુનાગઢથી તુ હી રામ પ્યારે રામના પૂજારી બાપુ, રોકડિયા હનુમાનના મહંતશ્રી, ગોંડલથી મહંત સીતારામબાપુ, વરણીધામથી મહંત રસિક બાપુ, કાલાવડ ગણપતિ મંદિરથી મહેશગિરીબાપુ તથા અન્ય સંતો-મહંતો જુનાગઢથી પધાર્યા હતાં. સર્વે સાધુ-સંતોનું દાણીધારધામના મહંત શ્રી ૧૦૦૮ સુખદેવદાસજી બાપુએ શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનું દાણીધારધામના મહંતશ્રી ૧૦૦૮ સુખદેવદાસજીબાપુ, ટ્રસ્ટ પ્રમુખ ભાવુબાપુ અને ઉપપ્રમુખ હનુભાબાપુએ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. દિવસ દરમિયાન આશરે પ૦,૦૦૦ થી પણ વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હોત. જ્યારે રાત્રે ડાયરામાં આશરે ૧પ૦૦૦ થી પણ વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હોત.
આ ભવ્ય કાર્યક્રમનું આયોજન દાણીધારધામના નાથજીદાદા ટ્રસ્ટ અને શ્રીનાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટના મહંતશ્રી ૧૦૦૮ સુખદેવદાસજીબાપુ ગુરૂ ચત્રભુજદાસજી (શ્રી ઉપવાસીબાપુ) અને પ્રમુખ ભાવુબાપુ, ઉપપ્રમુખ હનુભા (ગિરિરાજ હોટલ-રાજકોટ) તથા તમામ ટ્રસ્ટીઓ તથા રાજકોટ જિલ્લો તથા કાલાવડ તાલુકાના ગ્રામ્યજનો સર્વે સેવકગણ અને ધર્મપ્રિય ભક્તોએ કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial