Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના બાદનપર નજીકના શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી

લઘુરૂદ્ર, વિશેષ પૂજન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમોઃ

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૧૮: જોડિયાના બાદનપર નજીક આવેલા સ્વયંભૂ શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરમાં મહા શિવરાત્રિ પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લઘુરૂદ્ર, ધ્વજા રોહણ, મહાદેવજીનું વિશેષ પૂજન, મહાઆરતી, ઢોલ-નગારા અને ઝાલરના નાદ સાથે ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી. મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.

આ પાવન પ્રસંગે જોડિયા સ્થિત શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડીએથી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વાજતે-ગાજતે ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જોડિયા, બાદનપર અને આસપાસના ગામોમાંથી ભાવિક ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રા શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા ઁ નમઃ શિવાય, હર હર મહાદેવના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh