Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'આપ'ના જિલ્લા પ્રમુખની રજૂઆતઃ
જામનગર તા. ૧૭: જોડિયા તાલુકાના ગ્રામ વિસ્તારમાં સિંચાઈ માટેના પાણીની ખૂબ જ તંગી છે. પ્દરિયો નજીક હોવાથી તળના પાણી ખારા હોવાથી તે આપી શકાય એમ નથી તેથી ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકે તેમ નથી કે અને જે ખરીફ પાક ઊભો છે તે સૂકાઈ રહ્યો છે તેને બચાવીશકે એમ નથી. તેથી ખેડૂતોની સ્થિતિ કફોળી બની રહી છે, અને પાકને બચાવવા પાણીનું પિયત આપવું ખૂબ જ આવશ્યક છે. જો કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સૌની યોજનાથી ખેડૂતોને સિંચાઈનો લાભ ન મળે તો સૌની યોજનામાં વાપરવામાં આવેલા કરોડો રૂપિયાનો કોઈ મતલબ નથી.
તેથી જો સૌની યોજનામાંથી ઊંડ-ર ડેમ ભરવામાં આવેલ તો ઊંડ-ર ડેમથી ડાબા કાંઠે આવેલા ગામો મજોઠ, આણંદા, કુનડ તથા જમણા કાંઠે ભાદરા, બાદનપર, જોડિયા, અને કેશિયા વિગેરે ગામોની કેનાલ મારફતે પાણી છોડવામાં આવે તેમજ નદીમાં પાણી છોડી નદી પરના ચેકડેમો ભરવામાં આવે તો આ બધા ગામોના ખેડૂતોના ખરીફ તથા શિયાળુ પાકોને તેને લાભ મળે. જેથી સરકાર ખરેખર જો ખેડૂતોની આવક બમણી નહિં પણ તેના કરેલા ખર્ચ અને માલધારીઓના માલ ઢોર બચાવવાની સંવેદન શીલતાઆ સરકારમાં હોઈ તો પણ વિલંબ કર્યા વગર પાણી છોડી દેવું જોઈએ અને વાસ્તવિક ખેડૂતોના પાક બચાવવા માટે પાણી આપવા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે રજૂઆત કરી છે.
જો ૧પ દિવસમાં અમારી માગણી સ્વીકારવામાં નહિં આવે તો તમામ ખેડૂતો અને માલધારીઓની સાથે તમામ ગામોમાં જનસંમેલન બોલાવી પાણી માટે ખેડૂત મહાપંચાયત કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial