Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર પંથકમાં વ્યાજખોરો, સટ્ટાખોરો અને બુટલેગરોનું બેફામ દૂષણઃ ટીન એજર્સ બરબાદ

સમાજને સલાહ અને જ્ઞાન આ૫તા રહેતા અગ્રણીનો પૌત્ર પણ સામેલ?

                                                                                                                                                                                                      

જામજોધપુર તા. ૨૩: જામજોધપુર પંથકમાં વ્યાજખોર, સટ્ટાખોર અને અંગ્રેજી દારૂના વેચાણકર્તાઓ સક્રિય થયા છે અને આવા દૂષણ બેફામ વધ્યા છે. જ્યારે આ બાબતે કોઈ ફરિયાદ ઉઠવા પામે ત્યારે સામાન્ય દરોડાની કાર્યવાહીથી સંતોષ માની લેવામાં આવે છે.

આ બધા દૂષણોમાં ટીન એજર વધુ ભોગ બની રહ્યા છે. અમુક કહેવાતી સામાજિક સંસ્થાના આગેવાનો અને વેપારી પેઢીના પુત્રો પણ આવા દૂષણનો ભોગ બની રહ્યા છે.

સમાજને સલાહ અને ધાર્મિકતાનું જ્ઞાન આપતા અગ્રણીના પૌત્ર પણ આવી પ્રવૃત્તિમાં અવારનવાર ચમકતા રહે છે. આથી સ્થાનિક પોલીસે આ પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવી જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh