Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત રાજ્યમાં ફટાકડા વેંચતા વેપારીઓને ત્યાં જીએસટીના દરોડાઃ ૪.૩૩ કરોડની કરચોરી પકડાઈ

૩૭ વેપારીઓના ૬૯ સ્થળે તપાસના ધમધમાટ પછી કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: રાજ્યના જીએસટી વિભાગે જામનગર સહિત રાજ્યના ફટાકડાનું વેંચાણ કરતા ૩૭ વેપારીના ૬૯ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. રૂ. ૪ કરોડ ૩૩ લાખની કરચોરી ઝડપી લીધી હતી. સાથે રૂ. ૧૬ કરોડની આનુસંગિક વેરાકીય જવાબદારી પણ શોધી કાઢી હતી. ફટાકડાનું વેંચાણ માત્ર કાચી ચિઠ્ઠીથી થતું હોવાનું તપાસમાં જણાયું હતું.

ફટાકડાના વેપારીઓ ઓછું વેંચાણ દર્શાવીને વેરાચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી જીએસટી વિભાગે રાજ્યમાં જામનગર, વડોદરા, અરવલ્લી, વલસાડ, વાપી, ગાંધીધામ, મોરબી, સાબરકાંઠામાં જીએસટી વિભાગે સામૂહિક દરોડા પાડ્યા હતાં, જેમાં ર૦૦ થી વધુ કર્મચારીઓ જોડાયા હતાં, જેમાં તપાસમાં ગોટાળા હોવાનું જણાયું હતું.

આવા ધંધાર્થીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ કરવામાં આવનાર છે, જેથી ફટાકડા વિતરકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh