Advertisement
Author: નોબત સમાચાર

લીવરની બીમારીથી પીડાતા યુવકે ગળાટૂંપો ખાધો ઉદ્યોગનગરમાં કારખાનામાં મહિલાની આત્મહત્યા

સોયલ ટોલનાકા પાસે હોટલના વેઈટરે ઝેરી દવા પીધા પછી સારવારમાં થયું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના દરેડ જીઆઈડીસીમાં રહેતા મૂળ સુરતના નેપાળી પરિવારના મહિલાએ કોઈ બાબતથી માઠંુ લાગી આવતા પંખામાં દુપટ્ટાથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જામજોધપુરના વનાણામાં લીવરની બીમારીથી પીડાતા યુવકે ગળાટૂંપો ખાધો છે. ઉપરાંત સોયલ ટોલનાકા નજીકથી હોટલના વેઈટરે ઝેરી દવા પી લીધા પછી સારવારમાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે ત્રણેય બનાવની તપાસ શરૂ. કરી છે.

જામનગર નજીકના દરેડ જીઆઇડીસી પ્લોટ નં.૪૭૮/૭૯માં આવેલા કમલ મેટલ પ્રોડક્ટ નામના કારખાનામાં ચોકીદારી માટે આવીને રહેતા પ્રેમ બહાદુર સોની નામના નેપાળી પ્રૌઢના પત્ની મંજુબેન (ઉ.વ.૫૦)એ શુક્રવારે સાંજે છ વાગ્યા પહેલાં તે કારખાનામાં બનાવી આપવામાં આવેલા મકાનમાં પંખામાં દુપટ્ટો બાંધી ગાળીઓ બનાવ્યો હતો.

ત્યારપછી આ મહિલાએ તેમાં ગળાફાંસો ખાઈ લેતા ચકચાર જાગી છે. આ બનાવની જાણ થતાં ૧૦૮ને વાકેફ કરવામાં આવી હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ મહિલાને નીચે ઉતારી ચેક કરતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. શીતલબેન વિનોદભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં રહેતા મહેશભાઈ કાળુભાઈ ચનુરા ઉર્ફે ગોબરા નામના ચાલીસ વર્ષના યુવાનને લાંબા સમયથી દારૂ.નો નશો કરવાની આદત વળગી હતી. જેના કારણે લીવરની બીમારી થઈ ગઈ હતી. તેની સારવાર લેવા છતાં સારૂ. થતું ન હોવાથી કંટાળી ગયેલા મહેશભાઈએ શનિવારે સાંજે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે દોરી વડે ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. તેમના મોટાભાઈ દિનેશભાઈ કાળુભાઈ ચનુરાએ પોલીસને જાણ કરી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીકના સોયલ ટોલનાકા પાસે રાજ મોમાઈ હોટલમાં વેઈટર તરીકે કામ કરવા માટે આણંદના પંડોરી ગામથી આવેલા કિરીટભાઈ રાયસંગ બારૈયા (ઉ.વ.૩૩) નામના યુવાને ગયા સોમવારે સવારે કોઈ અકળ કારણથી હોટલના એક રૂ.મમાં ઝેરી દવા ગટગટાવી હતી. તેની જાણ થતાં આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. હોટલના ધંધાર્થી અને ઢંઢા ગામના હરપાલસિંહ દશરથસિંહ સોઢાએ પોલીસને જાણ કરી છે. ધ્રોલ પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh