Advertisement
Author: નોબત સમાચાર

રાવલ લોહાણા મહાજનના હોદ્દેદારોની પુનઃનિમણૂકઃ નવી પ્રવૃત્તિઓ અંગે પરામર્શ

વયોવૃદ્ધ વડીલ વિઠ્ઠલભાઈ મશરૂનો પ્રસ્તાવ તાળીઓ પાડી વધાવાયો

                                                                                                                                                                                                      

રાવલ લોહાણા મહાજનના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતાં રાવલ લોહાણા મહાજનના ટ્રસ્ટી રાજેશભાઈ વી.કોટેચા તથા નિરવભાઈ કોટેચાના અધ્યક્ષસ્થાને મળેલ મિટિંગમાં વડીલ મહાજન અગ્રણી વિઠ્ઠલભાઈ મશરૂએ જુના હોદ્દેદારોને રીપીટ કરવાની રજૂઆત કરતા સર્વ ટ્રસ્ટીઓ તથા ઉપસ્થિત મહાજનોએ તાળીઓના ગડગડાટ સાથે આવકારી હતી. ઉપરોક્ત મિટિંગમાં ટ્રસ્ટીઓ કેતનભાઈ ડી.મશરૂ, કેતનભાઈ આર.મશરૂ તથા જયેશભાઈ ગુલાબરાય કોટેચા હાજર રહ્યા હતા અને પુનઃ પ્રમુખપદે ભગવાનજીભાઈ કે.પાબારી, ઉપપ્રમુખ ગોરધનદાસ જી.મોદી, માનદમંત્રી રશ્મીનભાઈ ડી. મશરૂ અને સહમંત્રી હાર્દિકભાઈ એલ.કોટેચાની નિમણૂક કરવામાં આવી છે. લોહાણા મહાજનના આ નિર્ણય પછી પ્રવર્તમાન હોદ્દેદારોએ આગામી પ્રવૃત્તિઓના રોડમેપ અંગે પણ ચર્ચા-પરામર્શ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh