Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૪૨૦૦ના છતર ચોરી જનારની શોધઃ
જામનગર તા. ૧: લાલપુરના ગલ્લા ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાંથી જર્મન સિલ્વર ધાતુના ચાર છતર અને ખટીયા ગામમાં મહાદેવજી મંદિરમાંથી એક છતરની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
લાલપુર તાલુકાના ગલ્લામાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં ગઈ તા.૧૦ની સવારથી તા.૧૧ની સાંજ સુધીમાં ચોરી થયાની ઋષિરાજસિંહ અજીતસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે.
આ મંદિરમાં ઘૂસેલા કોઈ તસ્કરે મૂર્તિ પર ચઢાવવામાં આવેલા જર્મન સિલ્વર ધાતુના કુલમાંથી ચાર છતરની ચોરી કરી લીધી હતી. લાલપુર પોલીસે રૂ.૨૪૦૦ના છતર ચોરી જવા અંગે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધ્યો છે.
તે જ રીતે લાલપુર તાલુકાના ખટીયા ગામમાં આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરમાં પણ ગઈ તા.૧૯ની સવારથી સાંજ સુધીમાં ચોરી થઈ છે. ત્યાં મહાદેવજી પર ચઢાવવામાં આવેલુ જર્મન સિલ્વર ધાતુનું મોટું છતર ચોરી કરી જવાયું હતું. પુજારી લક્ષ્મણદાસ પ્રભુદાસ રામાનુજે ગઈકાલે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial