Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થળ અંગે ઉહાપોહ અને કાનૂની નોટીસો વચ્ચે પણ
જામનગર તા. ર૬: જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી લોકમેળામાં મહાનગરપાલિકાને ર કરોડ ૭ લાખની આવક થઈ છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં આગામી ૧૦ મી ઓગસ્ટથી શ્રાવણ માસના ૧પ દિવસ માટેના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની ઓનલાઈન અને ઓફલાઈન ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હતી, અને મહાનગરપાલિકાને બે કરોડ સાત લાખથી વધુની આવક થઈ છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ પાંચ લાખથી વધુની રકમ ના હોય તેવા ઓનલાઈન ટેન્ડર ખોલવામાં આવ્યા હતાં. મશીન મનોરંજનના ૬ પ્લોટ તેમજ આઈસ્ક્રીમ બુથના ર પ્લોટ માટેની ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકાને ૯૪,૦૩,૦૦૦ ની આવક થઈ હતી.
તે પછી મેળાના ધંધાર્થીઓની હાજરીમાં જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં અન્ય ૪૩ પ્લોટ માટેના ઓફ લાઈન ટેન્ડરો ખોલવામાં આવ્યા હતાં જેમાં કુલ ૧,૧૩,૮ર,ર૪ર ની વધુ આવક થઈ હતી.
આમ જામનગરના પ્રદર્શન મેદાનનો શ્રાવણી લોકમેળો મહાનગરપાલિકાને ફળ્યો છે, અને કુલ ર,૦૭,૮પ,ર૪ર ની આવક થઈ છે. હવે ૧૦ મી ઓગસ્ટથી શ્રાવણી મેળાનો પ્રારંભ થઈ જશે, જે શ્રાવણી અમાસ સુધી ચાલશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શ્રાવણી મેળાના સ્થળ અંગે ઉહાપોહ ઊઠ્યો અને વાત કાનૂની કાર્યવાહી સુધી પહોંચી ગઈ, પરંતુ જામ્યુકોએ ટેન્ડર પ્રક્રિયા સંપન્ન કરી લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial