Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-જિલ્લામાં યોજાઈ નેશનલ લોકઅદાલત

સમાધાનપાત્ર કેસને પક્ષકારોએ નિકાલના હેતુસર કર્યા રજૂઃ

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ-અમદાવાદના આદેશથી નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાધાનપાત્ર ફોજદારી કેસ, ચેક પરતના કેસ, બેંકના રીકવરી દાવા, લેબર તકરાર, લગ્ન વિષયક તકરાર, વીજળી અને પાણીના બીલના કેસ, કૌટુંબિક તકરાર, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ તેમજ નિવૃત્તિના લાભના કેસ અને અન્ય સિવિલ કેસ રજૂ કરવામાં આવ્યા છે. આજે સવારથી શરૂ થયેલી લોકઅદાલતમાં જામનગર શહેર તથા જિલ્લાના સંખ્યાબંધ પક્ષકારોએ પોતાના કેસ રજૂ કર્યા છે. સાંજ સુધી તેની કાર્યવાહી કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh