Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વકીલ મંડળ-બ્રહ્મસમાજ તથા જિલ્લામાં શોકની લાગણીઃ
ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલલાના જિલ્લા ન્યાયાધિશ સમીરભાઈ વ્યાસના એકના એક પુત્રનું અમદાવાદમાં મૃત્યુ થતા દ્વારકા જિલ્લા વકીલ મંડળ તથા બ્રહ્મસમાજ અને જિલ્લામાં ભારે શોકની લાગણી છવાઈ હતી.
દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ તરીકે ફરજ બાજતા સમીરભાઈ વ્યાસના પુત્ર ઋતુરાજ વ્યાસ (ઉ.વ. ૩ર) અમદાવાદ એડવોકેટ તરીકે કામ કરતા હતાં, જ્યાં ગઈકાલે સાંજે મૃત્યુ થતા ભારે શોકની લાગણી છવાઈ હતી.
સમીર વ્યાસનું વતન વેરાવળ હોય, આજે સવારે ત્યાંથી સદ્ગતની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, બ્રહ્મસમાજ અગ્રણીઓ, એડવોકેટો વિગેરે જોડાયા હતાં.
અમદાવાદમાં રહેતા ઋતુરાજ વ્યાસને ત્યાં ત્રણેક વર્ષ પહેલાં જ પુત્ર-પુત્રી ટ્વીટન્સ જન્મયા હતાં જે બન્ને પિતાના છત્રથી વંચિત થઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial