Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના ભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૧૭: દ્વારકા નજીકના ચંદ્રભાગા-બરડિયા ગામમાં આવેલી રાજમોતી સોસાયટીમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના એક યુવાને રવિવારની રાત્રે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. તેના વતનમાંથી દોડી આવેલા ભાઈએ પોલીસને જાણ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા બરડીયા ગામમાં રાજમોતી સોસાયટીમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના વતની અનુપ બાપી સાહા (ઉ.વ.રપ) નામના પરપ્રાંતીય યુવાન ત્યાં કામ કરતા હતા.
આ યુવાને રવિવારની રાત્રિથી સોમવારની સવાર સુધીમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાને મકાનમાં રાખવામાં આવેલી લોખંડની નીસરણીમાં ટુવાલ બાંધી ગાળીયો બનાવી ઉપરોક્ત પગલું ભર્યું હતું જેની સોમવારે સવારે જાણ થઈ હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પશ્ચિમ બંગાળથી દોડી આવેલા મૃતકના ભાઈ અમિતાબ બાપી સાહાએ પોલીસને જાણ કરી છે. પોલીસે તેનું નિવેદન નોંધી આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial