Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં કામચલાઉ બસ ડેપો પાસે સાંકડા ગ્રાઉન્ડમાં મેળો યોજવા સામે કોંગ્રેસ આગબબૂલાઃ
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાના આયોજન સામે કોંગ્રેસે આક્રોશ વ્યકત કર્યો છે અને જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આ બાબતે સુરક્ષાના ભાગરૂપે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સોગંદનામુ રજૂ કરે તેવી લેખિત અરજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સમક્ષ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા સ્ટે-કમિટી દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં આગામી મેળો કરવા આયોજન થયું છે, પરંતુ પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસ.ટી ડેપો હોય બાજુમાં ખૂબજ ટૂંકી જગ્યા હોય તેમાં મેળો કરવામાં આવે અને તેમાં કોઈ પણ અનિચ્છનિય બનાવ બને કે કોઇપણ જાનહાની થાય લોકોને કોઈ નુકસાન થાય તે માટે જવાબદાર કોણ ? તેવો સવાલ ઉઠાવતા કોંગ્રેસે કહ્યું છે કે રાજકોટની ગેમઝોન જેવી ગંભીર ઘટનામાં દોષનો ટોપલો અધિકારીઓ ઉપર નાખવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા સત્તાધીશોની અન-આવડત ના કારણે લોકોને ભારે હાલાકી કરવી પડે છે. તળાવની નાની માછલીઓને મારીને મોટા મગર-મચ્છો ને બચાવી લેવામાં આવે છે. આથી સત્તાધીશો સ્ટે-કમિટી સોગંદનામું કે જાહેર કરે કે મેળામાં કોઈ પણ બનાવ બને, કોઈ જાનહાની થાય તે માટે જવાબદાર કોણ ? તેનું સોગંદનામું જાહેર કરે, તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial