Advertisement
Author: નોબત સમાચાર

જામનગર વિરાટ બજરંગ દળના મહિલા પ્રમુખ પદે નિમણૂક

પત્રકાર અમીબેન ગજ્જર (અમૃતા ગોરેચા)ની

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: વિરાટ બજરંગ દળના સ્થાપક  સુશીલદેવી શર્મા, રાષ્ટ્રીય અધ્યક્ષ ઈશ્વરલાલ જાજડા, અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી ડી.આર. વાડાએ તેમના બજરંગ દળના જી.આર.એસ. વિભાગનો વિસ્તાર વધાર્યો છે, ગુજરાત ગૌ રક્ષા વિભાગમાં તેમની ટીમ તૈયાર કરી છે. જિલ્લા સંયોજક પત્રકાર અમીબહેન ગજ્જર (અમૃતા ગોરેચા)ને જામનગર વિરાટ બજરંગ દળનાં મહિલા વિભાગના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.

ગુજરાતના જામનગર જિલ્લામાં સંગઠનનો વિસ્તાર કરતા સંગઠન મંત્રી ડી.આર.વાડાની ઉપસ્થિતિમાં શ્રી રામજી મંદિરમાં વિરાટ બજરંગ દળનાં નવનિયુક્ત કાર્યકરોની જિલ્લા બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યકરોને નિમણૂક પત્ર સાથે જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

આ ખાસ બેઠકમાં જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સંયોજક તરીકે જવાબદારી નિભાવતા પત્રકાર  અમીબહેન ગજ્જર (અમૃતા ગોરેચા)ને સમગ્ર જામનગર શહેર અને જિલ્લાના મહિલા વિભાગના પ્રમુખ તરીકે પદભાર સોંપવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh