Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વકફના કેસ અંગે મહત્ત્વનો ચૂકાદોઃ
જામનગર તા. ૧૮: જામનગરના જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડની માલિકીની દુકાનો અંગે સિવિલ કોર્ટમાં દાવા કરવામાં આવ્યા હતા અને તે અંગે હુકમો થયા હતા. તે હુકમોને હાઈકોર્ટમાં અપીલથી પડકારવામાં આવ્યા હતા. હાઈકોર્ટે વકફના કેસ, દાવા, તકરાર ચલાવવાની સિવિલ કોર્ટને સત્તા ન હોવાનું ઠરાવી પેન્ડીંગ દાવા રદ્દ કરવાનો હુકમ કર્યાે છે.
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા બુગદામાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડની માલિકીની દુકાનોના ભાડુતો વચ્ચેની તકરારોમાં જામનગરની સિવિલ કોર્ટમાં દાવા કરવામાં આવ્યા હતા. પ્રતિવાદી પાર્થ ભૂપતભાઈ પોલારા તથા જુમ્મા મસ્જિદ બોર્ડ સામે દાવો દાખલ કરનાર ભાડુત અને વાદી પરેશ વેલજી ભીંડીની દાવા અરજી સાંભળવા તથા ચલાવવા સિવિલ કોર્ટને સત્તા ન હોય છતાં કોર્ટ દ્વારા વકફ મિલકતોના દાવાઓ ચલાવવાની સત્તા હોવા અંગે હુકમો કર્યા હતા.
તે હુકમો સામે પ્રતિવાદી પક્ષે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે વકફના કેસ અને દાવાઓ કે તકરારો ચલાવવાની સિવિલ કોર્ટને સત્તા ન હોવાનું ઠરાવી જામનગરની કોર્ટમાં પેન્ડીંગ દાવાને રદ્દ કરવાનો હુકમ કર્યાે છે. ભૂપતભાઈ તરફથી વકીલ મકબુલ મંસુરી તથા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ તરફથી વકીલ હાજી હસન ભંડેરી, એમ.એસ. ભડકી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial